સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 12th April 2021

સંત શિરોમણી પૂ.ભારતીબાપુનો દેહ વિલય થતા ઉંડા દુઃખની લાગણી વ્‍યકત કરી શ્રધ્‍ધાંજલી પાઠવતા શિક્ષણમંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમ

રાજકોટ,તા.૧૨: પ્રખર સંત શિરોમણી પૂજય ભારતીબાપુના અવસાન બદલ શિક્ષણમંત્રીશ્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમાએ ઉંડા શોકની લાગણી વ્‍યકત કરી તેમને શ્રધ્‍ધાંજલિ પાઠવી છે. તેઓએ જણાવ્‍યું છે કે તેઓના અવસાનથી સમગ્ર સંતો સમુદાયે પ્રખર સંત ગુમાવ્‍યા છે અને સેવા ક્ષેત્રને પણ બહુ મોટી ખોટ પડી છે. શ્રી ચુડાસમાએ જણાવ્‍યુ છે કે પૂજ્‍ય ભારતીબાપુના માર્ગદર્શન હેઠળ જ્‍યારે પણ સમાજજીવનમાં આપાતકાલીન સંજોગોમાં જ્‍યારે પણ સહયોગની જરૂર પડે ત્‍યારે હંમેશા સહયોગ મળી રહે તો પોતાની નાદુરસ્‍ત તબિયતના કારણે શ્રી ચુડાસમા પૂજ્‍ય ભારતીબાપુના અંતિમ સંસ્‍કાર દરમિયાન ઉપસ્‍થિત ન રહી શકયા તે બદલ દિલગીરી વ્‍યકત કરી છે.

(4:58 pm IST)