સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 12th April 2021

કેશોદ આંબેડકર વિસ્‍તારમાં આઠ દિ' થી પાણી ન મળતા કચવાટ

(કિશોરભાઈ દેવાણી ધ્‍વારા) કેશોદઃ વોડૅનં.૨માં આવેલ  આંબેડકર નગર  વિસ્‍તારમાં છેલ્લા આઠ દિવસથી નળ વાટે પાણી નહી મળતા પાણી માટે આ વિસ્‍તારની મહિલાઓને વલખા મારવા પડેછે. આ વિસ્‍તારમાંથી પસાર થતી નળની પાઇપલાઇનમાં અસામાજિક તત્‍વો પથ્‍થર નાંખી જતા આઠેક દિવસથી પાણી મળતું બંધ થયેલ છે. આ વિસ્‍તારની મહિલાઓને હાલમાં કોરોના અને ઉનાળા સખ્‍ત તાપમાં દૂર સુધી  પાણી ભરવા માટે જવુ પડે છે. ત્‍યારે શહેર પાલિકા દ્વારા આ વિસ્‍તારની નળની પાઈપલાઇનની સત્‍વરે સફાઈ કરી રીપેર કરી તાત્‍કાલિક પાણીની લાઈન ચાલુ કરવા આ વિસ્‍તારના લોકોએ માંગ કરેલ છે.

(1:51 pm IST)