સુરેન્દ્રનગર ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ દ્વારા ત્રણ બાળકોના માતા-પિતાને ઝારખંડથી શોધી મીલન કરાવ્યું
વઢવાણ : ગત ૨૫ માર્ચ એ મોરબી બાળ કલ્યાણ સમિતિને ૩ બાળકો મળી આવ્યાં હતાં આ બાળકોને સુરેન્દ્રનગર ચીલ્ડ્રન હોમ બોયઝ હોવાથી અહીંયા મોકલ્યા હતાં આ બાળકોનાં માતા પિતાની શોધખોળ શરૂ કરવામાં આવી હતી જેમાં આ તમાંમ બાળકો ઝારખંડનાં અલગ અલગ ગામોનાં હોવાનું સામે આવ્યું હતું. એમનાં માતા-પિતાનાં નંબરો અને સરનામા મેળવી સુરેન્દ્રનગર ચીલ્ડ્રન હોમમાં બોલાવી કાગળો આધારકાર્ડ સહીતનાં કાગળો તપાસી આ બાળકો એમનાં હતાં. ખાતરી કરી બાળકોને પુનઃ એમનાં માતા-પિતા અને પરીવાર સાથે મીલન કરાવ્યું હતું. આ બાળકો કોઈને કહ્યાં વગર ઘેરથી નીકળી ગયાં હતાં અને છુટક કામો કરી ગુજારો કરતાં હતાં. આ બાળકો બાળ કલ્યાણ સમિતિને મળતાં એમને સુરેન્દ્રનગર સંપર્ક કરી બાળકોને મોકલ્યા હતાં. સુરેન્દ્રનગર ચીલ્ડ્રન હોમ ફોર બોયઝના ચેરપર્સન જીજ્ઞાબેન પંડ્યા, ડો. નીલેશ ત્રીવેદી, સાપરા જયેશભાઈ, કમલેશભાઈ હાંડી, મીનલબેન ડોરીયા ઉપસ્થિત રહી બાળકોને એમનાં વાલીઓને સોંપ્યા હતાં.