સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th February 2019

કેશોદ ક્ષત્રિય સમાજના અગ્રણી હરદેવસિંહ રાયજાદા પરિવારમાં શુભલગ્ન ચિ. ગિરીરાજસિંહ ચિ. કાજલબા

જૂનાગઢઃ. કેશોદ ક્ષત્રિય સમાજના અગ્રણી હરદેવસિંહજી કલ્યાણસિંહજી રાયજાદાના સુપુત્ર ચિ. ગિરીરાજસિંહના શુભલગ્ન મૂળ ભાતેલ હાલ જામનગર નિવાસી રાજેન્દ્રસિંહજી મેરૂભા જાડેજાના સુપુત્રી ચિ. કાજલબા સાથે તા. ૧૫ને શુક્રવારે નિર્ધારેલ છે. કેશોદના માંગરોળ રોડ ૨૨૦ કેવી પાસે દરબારવાડી ખાતે તા. ૧૧ થી ૧૫ ફેબ્રુઆરી સુધી રાજવી પરિવારની પરંપરા મુજબ રજવાડી લગ્નોત્સવ યોજાનાર છે. જેમાં શ્રી હરદેવસિંહજી રાયજાદાના નિવાસ સ્થાને તા. ૧૧ બપોરે ૩ કલાકે ગળીગાર તા. ૧૨ સાંજે ૪ કલાકે સાંજીના ગીત અને તા. ૧૩ને બુધવાર બપોરે ૩ કલાકે દરબારવાડીથી વેલ પ્રસ્થાન, રાત્રે ૯ કલાકે રાસોત્સવ, તા. ૧૪ને ગુરૂવારે સવારે ૧૦.૩૦ કલાકે મંડપ રોપણ અને રાત્રે ૯ કલાકે ગુજરાતના ખ્યાતનામ નામી-અનામી કલાકારોનો ભવ્ય કસુંબલ ડાયરો જેનુ જીટીપીએલ ચેનલ ૬૧૦ ઉપર લાઈવ પ્રસારણ કરાશે અને તા. ૧૫ ને શુક્રવારે સાંજે ૭.૩૦ કલાકે ભોજન સમારંભ અને રાત્રે ૧૦ કલાકે હસ્તમેળાપ વિધી થશે.(૨-૪)

 

(11:21 am IST)