દ્વારકા ગુગળી સમાજનો સમુહ લગ્નોત્સવ યોજાયો : ૧૪ નવદંપતીઓના પ્રભુતામાં પગલા
દ્વારકા તા.૧૨ : સ્વામીનારાયણ મંદિરના પટાંગણમાં ગુગળી જ્ઞાતિ સમુહલગ્નોત્સવ યોજાયો હતો. પાલિકા પ્રમુખ જીતેષભાઇ માણેક ગુગળી સમાજના કોર્પો. અને કાંઠા સ્ટુઝ તથા ગૌરવ ભર્યા ઇતિહાસની અંગે જણાવેલ હતુ.
વંસતપંચમીના દિને સમુહ લગ્નોત્સવમાં જ્ઞાતિના ૧૪ નવદંપતીઓ પુરોહિતો વત્સલભાઇ પુરોહિત તથા ઘનશ્યામ મહારાજએ લગ્નની ચોરીના મંગલ ફેરા સાથે ૫૦માં લગ્નોત્સવને મંત્રોચ્ચાર સાથે યાદગાર બનાવી દીધા હતા.
ગુગળી જ્ઞાતિના યુવા મંડળ કારોબારી સમિતિ અને મહિલા મંડળ સહિતની સંસ્થાઓએ ઉપસ્થિત જ્ઞાતિજનોની વ્યવસ્થા જાળવી હતી.
જ્ઞાતિના પ્રમુખ અશ્વિનભાઇ પુરોહિત, જયદીપભાઇ, નારણભાઇ વાયડા, પ્રજ્ઞેશભાઇ ઠાકરએ પાલિકાના પ્રમુખ જીતેષભાઇ ઉપપ્રમુખ પરેશ ઝાપરીયા, પત્રકાર મંડળના પ્રમુખ ચંદુભાઇ બારાઇ, વિનુભાઇ સાયાણી, ઇશ્વરભાઇ ઝાપરીયા તથા ગોવિંદ સ્વામી, તાલુકા પંચાયતના પ્રમુખ લુણાભા સહિતના પત્રકારો વેપારી વર્ગ વગેરેના સહયોગ માટે સન્માન કરેલ. બાબુભાઇ દેશાઇના યજમાનપદે હાજર રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.(૪૫.૩)