સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th February 2019

તળાજા ભાજપને સમર્પણ નિધિના નામે પાંચ લાખ એકઠા કરવાનો ટાર્ગેટ

તળાજા, તા.૧૨: લોકસભાની ચૂંટણી નજીક આવતા જ ભાજપ એકશન મોડમાં આવી ગયુ છે. પ્રદેશ કક્ષાએથી તળાજા ભાજપ સંગઠનને અનેક કાર્યક્રમો આપવામાં આવ્યા છે. શેહર ભાજપ પ્રમુખ પરેશભાઈ જાની ના જણાવ્યા પ્રમાણે તા.૧૨ફેબ્રુઆરી થી ૨ માર્ચ સુધી સમર્પણ નિધિ એકથી કરવાની છે. રૂપિયા પાંચ લાખનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. શહેર તાલુકા સંગઠનને જેમાં ચૂંટાયેલ નગર સેવકો, પ્રમુખ, વિવિધ સેલ મોરચા, સંગઠન આગેવનોને ચોક્કસ રકમના ટાર્ગેટ આપવામાં આવ્યા છે. જોકે ચહેરાઓ એટલેકે ત્રેવડ માપીનેજ રૂપિયા એકઠા કરવાનો ટાર્ગેટ હોય છે. સ્થાનિક લેવલ એ ઉપરાંત ઉદ્યોગકારો, ડોકટર, વકીલ, વેપારીઓ સહિતના લોકો પાસેથી પણ રકમ ઉઘરાવવાની હોય છે.

જી.પ સભ્ય ગૌતમભાઈ ચૌહાણ ના જણાવ્યાં પ્રમાણે જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો ને પણ મળી ને સમર્પણ નિધિ એકથી કરવાનું કહેવામાં આવશે.

એ ઉપરાંત ચૂંટણીમાં ભાજપ તરફી માહોલ ઉભો કરવામાટે શહેર તથા ગ્રામ્ય વિસ્તારો માં કાળ થીજ કાર્યકરો લાગીજશે. કાર્યકરો આગેવનો ના ઘર પર ભાજપ નો ધ્વજ લગાવવા માં આવશે. ચૂંટણી આવતા જ ભાજપ  ના કર્યકરો ને કોર્પોરેટ કંપનીની જેમજ ટાર્ગેટ સાથે કામ સોંપવામાં આવે છે.

 

(11:15 am IST)