સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th February 2019

ભાવનગરમાં સ્વાઇન ફલૂએ વધુ ૧નો ભોગ લીધો : મૃત્યુઆંક ૩૭

ભાવનગર તા. ૧૨ : ભાવનગરની હોસ્પિટલમાં સ્વાઇન ફલૂથી દામનગરના આધેડનું મોત નિપજ્યું હતું.  ભાવનગરની સર ટી હોસ્પિટલમાં સ્વાઇન ફલૂથી વધુ એક મોત નિપજતાં સ્વાઇન ફલૂથી મૃત્યુઆંક ૩૭ થયો છે. અમરેલીના લાઠી તાબેના દામનગરમાં રહેતા ૭૨ વર્ષીય પુરૂષનું સ્વાઇન ફલૂની સારવાર દરમિયાન ભાવનગરની સર ટી હોસ્પિટલમાં મોત નિપજ્યું છે.  હાલમાં સર ટી હોસ્પિટલમાં સ્વાઇન ફલૂ પોઝીટીવના ૧૫ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.(૨૧.૮)

(11:29 am IST)