સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th February 2019

પ્રયાગરાજ કુંભમેળામાં 'બાપા સીતારામ'નું રટણ

જાળિયાઃ વિશ્વ પ્રસિદ્ધ પ્રયાગરાજમાં ચાલી રહેલા અર્ધકુંભ મેળામાં શ્રી બજરંગદાસ બાપાના સેવક પરિવાર દ્વારા શ્રી મનજીબાપાના માર્ગદર્શન સાથે 'બાપા સીતારામ' નાદ થઇ રહયો છે. અહિં સત્સંગ સ્નાનમાં શિવકુંજ આશ્રમ-જાળિયાના શ્રી વિશ્વાનંદ મયી દેવીજી જોડાયા હતા. બાપા સીતારામ અન્નક્ષેત્રમાં તેઓ સામેલ થયા. શ્રી વિઠ્ઠલભાઇ તેજાણી અને અગ્રણી ભાવિકો સાથે રહયાં.

(9:16 am IST)