સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th February 2019

જામનગર એન્ટી રોમિયો સ્ક્વોડનો સપાટો :તળાવની પાળે ત્રણ યુવકોને ઝડપ્યા

યુવકો પાસેથી માફીપત્ર લખાવીને ફરીથી જાહેરમાં ક્યાંય લખણ નહિ જળકાવવા આપી સૂચના

 

જામનગરના તળાવની પાળ વિસ્તાર માંથી પોલીસની રોમિયો સ્કોવોડે ત્રણ જેટલા રોમિયોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્રણેય રોમિયોને પકડી પાડીને પીએસઆઈ દ્વારા માફી પત્ર લખાવી ફરીથી જાહેરમાં ક્યાય પણ આવું વર્તનના કરવાની સૂચના આપવામાં આવી હતી.

જામનગરન  તળાવની પાળથી પોલીસની રોમિયો સ્કોવોડે સાંજે ત્રણ યુવકો ને રોમિયોગીરી કરતાં ઝડપી પાડ્યા હતા. તળાવની પાળ શહેર નું ફરવા લાયક સ્થળ હોય તેમજ મેઇન રોડ પણ અંહી થી નીકળતો હોવાથી મોટી સંખ્યા માં શહેરીજનોએ અંહી જોગિંગ માટે, હરવાફરવા અથવા પોતાના કામકાજ માટે નીકળતા હોય છે. ત્યારે કેટલાક યુવકો અંહી આવી બાઇકની રેસ લગાવતા હોય છે. તેમજ યુવતીઓની પજવણી કરતાં હોય છે. જેને કાબૂમાં લેવા માટે જામનગર જિલ્લા પોલીસવડા દ્વારા એંટીરોમિયો સ્કોવોડ બનાવવામાં આવ્યું છે. એન્ટિરોમિયો સ્કોવોડ મહિલા કોલેજ તળાવની પાળ તેમજ અનેક જાહેર જગ્યાએ ફરતી હોય છે. અને રોમિયોગીરી કરતાં યુવકો ને પકડી પાડીને સબક શિખડાવે છે.

(9:03 am IST)