સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 12th January 2020

પોરબંદરમાં ૧પ લાખના ડખ્ખામાં આધેડની હત્યા કરનાર સાળા-બનેવીની ધરપકડ

મૃતકના દીકરાના લગ્નના કેટરીંગના પૈસા મામલે માથાકૂટ થઇ હતીઃ છરી કબજે

પોરબંદરઃ પોરબંદરમાં ગણેશ કોલોની વિસ્તારમાં રહેતા કાનજીભાઇ દામાભાઇ હોદારે નામના આધેડએ વાઘેશ્વરી પ્લોટમાં રહેતા અને લકડીબંદર પુલ પાસે ધનરાજ નામનો મચ્છીનાુ દંગો ધરાવતા સુરેશ ઉર્ફે સુરિયો ગોટાલાને રૂ. ૧પ લાખ આપ્યા જેના સંદર્ભે સુરેશ ઉર્ફે સુરિયાએ કાનજીભાઇને તેની ઓફિસે બોલાવ્યા હતા. બાદમાં સુરેશ ઉર્ફે સુરિયાના બનેવી કિશોર ભીખુ જુગીએ ઓફીસમાં બેઠેલા કાનજીભાઇને આડેધડ છરીના ઘા ઝીંકી હત્યા કરી સાળો - બનેવી નાસી છૂટયા હતા.

        આ બનાવ અંગે પોલીસે મૃતક કાનજીભાઇની પત્નીની ફરિયાદ પરથી બન્ને શખસો વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. દરમિયાન પોલીસે કિશોર ભીખુ જુંગી ીઅને સુરેશ ઉર્ફે સુરિયો ગોટાલાને ઝડપી લીધા હતા. પોલીસે હત્યારા સાળા-બનેવીને રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.

 

(12:39 pm IST)