સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th January 2019

વાંકાનેરમાં વૃદ્ધાનો ઘરે સાડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત :ચકચાર

બસ સ્ટેશન સામે રહેતા લીલાબેનબાબરીયાએ અગમ્ય કારણોસર ગળેફાસો ખાદ્યો

 

વાંકાનેરમાં બસ સ્ટેશન નજીક રહેતી વૃધ્ધાએ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

  અંગેની વિગત મુજબ વાંકાનેર બસ સ્ટેશન સામે રહેતા લીલાબેન રાયસંગભાઈ બાબરીયા (ઉં.૭૦) પોતાના કોઈ કારણોસર ઘરે સાડી વડે ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.જે મામલે અમુભાઇ કાનજીભાઇ ઠાકરાણી વાંકાનેર સીટી પોલીસ મથકમાં જાણ કરી હતી તો વાંકાનેર પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:42 pm IST)