જામકંડોરણામાં કેશુભાઇ પરમારને આપઘાત કરવા માટે મજબૂર કરનાર ત્રણ સામે ગુનો
વ્યાજ સહિત રકમ ચુકવી દીધા બાદ પણ પરેશાન કરતા પ્રૌઢે ઝેરી દવા પી લીધી'તીઃ રાજકોટનો દિનેશ બગડા, કિરીટ પટેલ અને તેના મામા સામે ગુનો
રાજકોટ તા. ૧ર :.. જામકંડોરણાના ચરેલ ગામમાં વ્યાજ સહિત રકમ ચૂકવી દીધા બાદ પણ પરેશાન કરી પ્રૌઢને મરવા માટે મજબુર કરનાર રાજકોટના ત્રણ શખ્સો સામે ફરીયાદ થઇ છે.
મળતી વિગત મુજબ ચરેલ ગામમાં રહેતો વિરલ કેશુભાઇ પરમાર (ઉ.ર૬) એ જામકંડોરણા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, પિતા કેશુભાઇ ગોવાભાઇ પરમારએ રાજકોટ આંબેડકરનગરના મુળ જામકંડોરણાના દડવી ગામના દીનેશ મુળજીભાઇ બગડા તથા કિરીટ પટેલ અને તેના મામા પાસેથી વ્યાજે પૈસા લીધા હતાં. પિતા કેશુભાઇએ રકમ ઉપર વધારે વ્યાજ લીધેલ હોઇ અને વ્યાજ ત્થા રકમ આપી દીધેલ છતાં આ ત્રણેય શખ્સો પિતાને હેરાન પરેશાન કરતા હોઇ, તેથી આ ત્રાસથી કંટાળી જઇ પિતા કેશુભાઇએ ગત તા. ૩૧-૧ર ના રોજ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે એસ. ટી. એસ. સી. સેલ.ના ડીવાયએસપી એચ. એમ. મહેતાએ તપાસ આદરી છે. (પ-ર૦)