સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th January 2019

વિંછીયાના મોઢુકીની ૧૬ વર્ષની સગીરાને અરવિંદ શેખ ભગાડી ગયોઃ અપહરણનો ગુનો

રાજકોટ તા.૧૨: વિંછીયાના મોઢુકા ગામમાં રહેતી દેવપૂજક સગીરાને લલચાવી ફોસલાવી શખ્સ ભગાડી જતા પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

મળતી વિગતો મુજબ વિંછીયાના મોઢુકા ગામમાં રહેતી ૧૬ વર્ષની સગીરા ગત તા. ૨૦/૧૧નખ રોજ પોતાના ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી. તપાસ દરમ્યાન મોઢુકા ગામમાં રહેતો અરવિંદ પમાભાઇ શેખ સગીરાને પ્રેમજાળમાં ફસાવી લલચાવી-ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી ગયો હોવાનું જાણવા મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ અંગે વિંછીયા પોલીસે અરવિંદ પમા શેખ વિરૂદ્ધ અપહરણનો ગુનો દાખલ કરી જસદણ પોલીસ મથકના સીટી પીઆઇ એ.બી.પટેલ તપાસ આદરી છે.(૧.૪)

(11:57 am IST)