સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th January 2018

કાલાવડ માર્કેટીંગ યાર્ડમાં ભાજપનો ભગવો લહેરાયોઃ ચેરમેન પદે યુવરાજસિંહ જાડેજા

કાલાવડ, તા. ૧૨ :. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના હોદેદારોની ચૂંટણી યોજાયેલ હતી. જેમા ચેરમેન પદે યુવરાજસિંહ હેંમતસિંહ જાડેજા તથા વાઈસ ચેરમેન પદે કાંતીભાઈ ગઢીયા બીનહરીફ ચૂંટાયેલ હતા. આ ચૂંટણી માટે છેક છેલ્લે સુધી રાજકીય દાવપેચ તેમજ કાનૂની દાવપેચ હરીફ જુથ દ્વારા કરવામાં આવેલ હતા તેમ છતા ભાજપાના હોદેદારોનો વિજય થયો હતો.

કાલાવડના નેતા અને કૃષિમંત્રી આર.સી. ફળદુનું સતત માર્ગદર્શન તેમજ વરીષ્ઠ આગેવાન અને એમએમટીસીના ડાયરેકટર રાજેન્દ્રસિંહ જાડેજાની ભૂમિકા મહત્વની રહેલ હતી.

યાર્ડના સર્વે ડાયરેકટરો તથા કાલાવડ નગરપાલિકા પ્રમુખ મનોજભાઈ જાની, ખેડૂત આગેવાન જમનભાઈ તારપરા, રૂદ્રદતસિંહ જાડેજા, વેપારી અગ્રણી રમેશભાઈ તાળા તથા વિજયભાઈ ફળદુ વગેરેએ કામગીરી કરી હતી.

આ ચૂંટણીના પરિણામ બાદ ભાજપાના સર્વ હોદેદારો, આગેવાનો તેમજ વેપારીઓ અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલ ખેડૂત આગેવાનોએ ભાજપનો વિજય ઉત્સવ મનાવેલ હતો.

(12:01 pm IST)