સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th January 2018

પ્રભાસ પાટણ-સોમનાથ-સુત્રાપાડામાં માંધાતા પ્રાગટય મહોત્સવની ઉજવણી

રવિવારે વિવિધ કાર્યક્રમોઃ શોભાયાત્રા

પ્રભાસ પાટણ તા. ૧ર :.. શ્રી વીર માંધાતા યુવા સેવા સંગઠન ગીર સોમનાથ દ્વારા શ્રી માંધાતા પ્રાગટય મહોત્સવ નિમિતે પ્રભાસ પાટણ-સોમનાથ  અને સુત્રાપાડામાં તા. ૧૪ ને રવિવારનાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ભવ્ય શોભાયાત્રા સુત્રાપાડા મુકામે સવારના ૮ થી ૧ર ભવ્ય શોભાયાત્રા વાછરા દાદા ચોકથી ધનેશ્વર મંદિર થઇને બસ સ્ટેશનથી માંધાતા ઓફીસે સમાપન થશે.

સોમનાથ પ્રભાસ પાટણમાં પણ ભવ્ય શોભાયાત્રા નિકળશે. સોમનાથ - પ્રભાસ પાટણનાં શાંતિનગરથી ગુડલક, વેગડાજી ભીલનાં મંદિરથી વેણેશ્વર મંદિર સમાપન થશે.

બાઇક રેલી બપોરે ૧ર થી ૧ સુત્રાપાડાથી પ્રસ્થાન થઇ ડાભોર હાઇવે બાયપાસથી વેરાવળ ટાવર ચોકથી ભાલકા ભીડીયા - પાટણ શાંતિનગર ફરશે અને આ રેલી પૂર્ણ થયા બાદ પ્રભાસ પાટણ સોમનાથ મુકામે ગીર-સોમનાથ અને જુનાગઢ જીલ્લાનાં તાજેતરમાં કોળી સમાજનાં  જીતેલા ધારાસભ્યનો સન્માન સમારંભ યોજાશે.

આ કાર્યક્રમમાં સમગ્ર ગીર સોમનાથ જીલ્લાનાં કોળી સમાજનાં દરેક ભાઇ-બહેનોને જોડાવા સમસ્ત શ્રી વીર કોળી માંધાતાં પરીવાર દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે.

(11:46 am IST)