News of Wednesday, 11th December 2019
બગસરા બાદ વિસાવદરમાં શંકાસ્પદ આદમખોર દીપડા પર વનવિભાગે પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું
વિસાવદર પંથકમાં દીપડો અત્યાર સુધીમાં છ લોકોનો શિકાર કરી ચૂક્યો છે.
અમરેલીના બગસરા બાદ જૂનાગઢના વિસાવદરમાં પણ શંકાસ્પદ આદમખોર દીપડા ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જાણવા મળ્યા મુજબ વનવિભાગે વિસાવદરના ઘોડાસણમાં દીપડા પર પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જોકે ફાયરિંગ થતા દીપડો નાસી છૂટયો હતો. જૂનાગઢમાં આદમખોર દીપડાને ઠાર મારવામાં વનવિભાગ નિષ્ફળ રહ્યું હતું વિસાવદર પંથકમાં દીપડો અત્યાર સુધીમાં છ લોકોનો શિકાર કરી ચૂક્યો છે.
(12:09 am IST)