સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th December 2019

ભાવનગરમાં પાંચમાં માળેથી ઝંપલાવી વેપારી પંકજ કોઠારીનો આપઘાત

ભાવનગર તા. ૧૧ : ભાવનગર શહેરના કાળુભા રોડ ઉપર આવેલ પંચકુટીરના પાંચમા માળેથી ઝંપલાવી પંકજ કોઠારી નામના વેપારીએ આત્મહત્યા વહોરી લીધી હતી.

મળતી વિગતો મુજબ આજે સવારે શહેરનાં કાળુભા રોડ ઉપર આવેલ પંચકુટીર ફલેટના પાંચમાં માળેથી પંકજભાઇ ભુપતભાઇ કોઠારી ઉ.૪૭ નામના વેપારીએ કોઇ કારણોસર ઝંપલાવી દેતા ઘટના સ્થળેજ તેનું મોત નિપજયું હતું. બનાવથી આ વિસ્તારમાંં લોકો  એકઠા થઇ ગયા હતા આ અંગે પોલીસને જાણ થતા એ ડીવીઝન પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

(1:17 pm IST)