ખંભાળીયા-પોરબંદર હાઇવે ઉપરનો પુલ જર્જરીત : ઠેરઠેર ગાબડા
ખંભાળીયા તા.૧૧ : પોરબંદર રોડ ઉપર ભાડથર ગામ પાસે ખંભાળિયા પોરબંદર હાઇવે પર પુલમાં ગાબડા પડતા જર્જરીતપુલમાં તિરાડો પડતા તથા મોટા વાહનો નિકળતા પુલ ધ્રુજતો હોય તેવુ થવા છતા તથા તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતા પણ તંત્રએ ધ્યાન ન આપતા લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઇ હતી.
આજે સવારે આ પુલ પરથી લોકો નિકળતા પુલ પર મોટો ખાડો પડયો હોય ટુ વ્હીલર વાળા ત્યાથી નીકળે તો પડી જાય તેવુ હોય કે મોટો અકસ્માત થવા સંભવ હોય લોકોએ જાતે ખાડો પુરવાનુ શરૂ કર્યુ હતુ.
અત્યંત જર્જરીત થયેલા આ પુલને કારણે તથા ખાડા પડતા નાના મોટા અકસ્માતો વારંવાર થાય છે ત્યારે તાકીદે રીપેરીંગ કરીને તથા જરૂર જણાય તો નવો પુલ બનાવવા પણ માંગ કરાઇ છે.
અગાઉ કેશોદ, વિઝલપર પાસે પણ આવી રીતે પુલ જર્જરીત થઇ જતા તંત્રએ રીપેરીંગ કર્યો હતો ત્યારે આ પુલ પહેલા પણ આગળ જર્જરીત થતો હોય તુરંત તંત્ર નહિ થશે તો ગંભીર ઘટના બનશે.