જોડિયાધામમાં પુ. વિરાગમુનિ સ્થાપિત શ્રી ગીતા વિધાલયમાં પુ.મોરારીબાપુના પાવન સાનિધ્યમાં ( ૪૮ મો ) શ્રી ગીતા જ્યંતી મહોત્સવ ઉજવાશે
વાંકાનેર - જોડિયા તા. ૧૧ : જામનગર જિલ્લાના જોડિયાધામમાં આવેલ પુ શ્રી વિરાગમુનિ સ્થાપિત શ્રી રામ કળષ્ણ સાધના ટ્રષ્ટ - શ્રી ગીતા વિધાલય - ધર્મશેત્ર ખાતે સંસ્થાની પ્રતિવાર્ષિકી પરંપરાનુસાર આગામી તારીખ : ૩ / ૧૨ / ૨૨ ને શનિવારના માગસર સુદ એકાદશીના શ્રી ગીતા જ્યંતી મહોત્સવ પ. પુ શ્રી મોરારીબાપુના પાવન સાનિધ્યમાં ઉજવાશે ગીતા જ્યંતીના યુગ પર્વ દિને સવારે ૯ : ૦૦ વાગ્યાથી પ, પૂજ્ય શ્રી મોરારીબાપુ મંગલ ગીતા સંદેશ આપી કળતાથ કરશે તૅમજ શ્રી ગીતા જ્યંતી મહોત્સવ દરમ્યાન તારીખ : ૨ અને ૩ ડિસેમ્બરના રોજ સવારે વિશ્વ કલ્યાણ એવમ હરી પર્સનનતાથેં શ્રી ગીતા વિધાલયના બાળકો તથા ભાવિકો દ્વારા સામુહિક ‘હોમાત્મક પાઠ અનુષ્ઠાન' થશે આ ઉપરાંત તારીખ : ૨ / ૧૨ / ૨૨ ને શુક્રવારના રોજ સવારે ૯ : ૦૦ થી ૧૨ : ૦૦ તથા સાંજે ૪ : ૦૦ થી ૭ : ૦૦ દરમ્યાન સંતો, કથાકારો દ્વારા સતસંગ -વચન થશે તૅમજ તારીખ : ૩ / ૧૨ / ૨૨ ને શનિવારના સવારે ૯ : ૩૦ વાગ્યાંથી પૂજ્ય મોરારીબાપુ દ્વારા ગીતા સંદેશ -વચન તા : ૨ ના બપોરે જ પૂજ્ય મોરારીબાપુ જોડિયા પધારશે શ્રી ગીતા જ્યંતીના પાવન પુણ્યશાળી પર્વ ઉત્સવમાં સર્વ ભાવિક - ભક્તજનોને પધારવા શ્રી રામ કળષ્ણ સાધના ટ્રસ્ટ - શ્રી ગીતા વિધાલય પરિવાર, જોડિયાધામ દ્વારા ભાવભર્યું નિમંત્રણ છે વધુ વિગત માટે ૯૪૨૬૯ ૭૯૯૯૧ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.