જુનાગઢમાં મહેતા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહઃ વાજતે ગાજતે પોથીયાત્રા
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ મહેતા પરિવાર દ્વારા સ્વ.શાષાીની સ્મૃતિમાં શરદભાઇ મહેતા અને સમગ્ર પિતૃદેવોના મોક્ષાર્થે જોશીપરા ખલીલપુરરોડ પર આવેલ ખોડલ ફાર્મ ખાતે તા ૧૦થી ૧૬ સુધી શ્રીમદભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરેલ છે.
જેમાં પોથીયાત્રા વાજતે ગાજતે નીકળી હતી બાદમાં શાષાી અશોકભાઇ જોશીએ સંગીતની સુરાવલી સાથે પોતાની આગવીશૈલીમાં કથાનુ રસપાન કરાવ્યુ હતુ અને દરરોજ સવારે ૯થી ૧૨ અને બપોરે ૩થી ૬ કથાશ્રવણનો સમય રાખેલ છે.
કથા દરમ્યાન નૃસિંહ પ્રાગટય રામ તથા કૃષ્ણ પ્રાગટય નંદમહોત્સવ સહિતના પ્રસંગોની ઉજવણી કરવામાં આવનાર છે. પ્રધાનમનોરથી તરીકે પુનિતભાઇ મહેતા સેવા આપે છે અને કથામાં વ્યવસ્થા અને સંચાલન શાષાી કેતનભાઇ શરદચંદ્ર મહેતા સંભાળી રહયા છે અને સફળ બનાવવા સમસ્ત મહેતા પરિવાર જહેમત ઉઠાવી રહયા છે અને કથાશ્રવણનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને અને આમંત્રિતોને નિમંત્રણ પાઠવ્યુ છે.