News of Friday, 11th November 2022
ધોરાજી બીએપીએસ સ્વામીનારાયણ મંદિર ખાતે પાટોત્સવ
(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા ૧૧ : ધોરાજીના બીએપીએસ સ્વામી નારાયણ મંદિરનો છઠો પાટોત્સવ તા ૧૩ને રવિવારે આયોજન કરાયુ છે. જેમાં સવારે ૮ વાગ્યે પાટોત્સવ મહાપૂજા , ૧૧ વાગ્યે સંગીતના તાલ સાથે ૧૦૦૦ થી વધુ આઈટમનો અન્નકૂટ અને ભવ્ય મહાઆરતી યોજાશે. સાંજે ૫ વાગ્યે છઠા પાટોત્સવની સંતસંગ સભા યોજાશે. ૭ વાગ્યે સંગીતના તાલ સાથે સંધ્યા આરતી અને આતશબાજીના કાયકમોનું આયોજન કરાયુ છ.ે આ કાર્યક્રમમાં જૂનાગઢ મંદિરના કોઠારી પૂજ્ય ધર્મવિનય સ્વામી, અખંડચિંતન દાસ સ્વામી ,પૂજય સેવામૂર્તિ દાસ સ્વામી ઉપસ્થિત રહેવાના છે.
(1:13 pm IST)