દ્વારકા જિલ્લાની બે બેઠકો માટે વધુ ૩પ ફોર્મ ભરાયા
ખંભાળિયામાં એક ફોર્મના શ્રી ગણેશ
ખંભાળિયા તા.૧૧ : દેવભુમી દ્વારકા જિલ્લામાં ફોર્મ ભરવાનું શરૂ થયું ત્યારથી રોજના ફોર્મ ઉપાડ થાય છે. પરંતુ ફોર્મ ભરાતા નથી. ગઇકાલે એક ફોર્મના શ્રી ગણેશ થયા હતા. ખંભાળિયા બેઠક માટે પત્રકાર રામકૃષ્ણ નરભેશંકર રાજયગુરૂ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું હતુ. જેમણે અગાઉ પણ અનેક વખત ધારાસભા - લોકસતામાં ફોર્મ ભર્યુ હતુ.
અહી ગઇકાલે ૧૬ ફોર્મ ઉપડયા હતા. જયારે દ્વારકા વિધાનસભામાં ૧૯ ફોર્મ સાથે કુલ ૩પ ફોર્મ ભરાયા છે. જો કે દ્વારકાવિધાનસભા માટે હજુ ફોર્મ ભરવાનું ખાતુ ખુલ્યુ નથી. આજે બંન્ને વિધાનસભામાં કેટલાક ફોર્મ રજુ થવાની સંભાવતા છે તો આવતીકાલે પણ ફોર્મ ભરાય તેવી શકયતા છે.
દ્વારકા જિલ્લામાં મહત્વની ગણાતી પાર્ટીઓ ભાજપ, કોંગ્રેસ, આપ કે એ.આઇ.એમ.આઇ.એમ. કોઇ એ ફોર્મ ભર્યા નથી.