News of Friday, 11th November 2022
જસદણ ઘેલાં સોમનાથમાં ભાવિકો માટે ચાની જાહેરમાં વ્યવસ્થા કરો : અરવિંદ સરધારા
(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ તા.૧૧ : જસદણના વિખ્યાત તીર્થધામ ઘેલાં સોમનાથ મંદિરમાં દરરોજ અવરજવર કરતાં ભાવિકો માટે ચા ની કોઈ વ્યવસ્થા ન હોવાથી તે શરૂ કરવાં જસદણના સામાજિક કાર્યકર અરવિંદ સરધારા એ માંગ કરી છે તેમણે જણાવ્યું હતું કે ઘેલાં સોમનાથ હજજારો ભાવિકોનું આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે અહી ભારતભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે ત્યારે મંદિરના દરવાજા પાસે જ ચાની વ્યવસ્થા કરવી જોઈએ જેથી દરેક ભાવિકો લાભ લઈ શકે.
(10:30 am IST)