સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 11th November 2021

જુનાગઢના જોષી અભિષેકએ વિકલાંગો સાથે જન્મદિવસની ઉજવણી કરી ભોજન કરાવ્યું

જુનાગઢ : અકિલા દૈનિકના પત્રકાર સ્વ. સુર્યકાંતભાઇ જોષી અને ગિરાબેન જોષીના પુત્ર અભિષકેએ પોતાના રરમા જન્મદિવસની વિકલાંગો સાથે ઉજવણી કરી હતી. જુનાગઢ બિલખા રોડ વિજાપુરના પાટીયા પાસે આવેલ  સાત્વન વિકલાંગોની સંસ્થામાં જઇ અભિષેક જોશીએ ત્યાંના વિકલાંગ બાળકો સાથે કેક કાપી મીઠુ મો કરાવી પાઉભાજીનું ભોજન અને મીઠાઇ ખવડાવડ જન્મદિવસની સમાજને પ્રેરણા આપે તેવી ઉજવણી કરી હતી. આ તકે જોષી પરિવારના મોભી ગં.સ્વ. વિજયાબેન શિવલાલભાઇજોષી, ગિરાબેન જોષી, તથા શ્રીમતી મીતાબેન વિનુભાઇ જોષી, જુનાગઢ અકિલાના પત્રકાર વિનુભાઇ જોષી મૈત્રેય જોષી તેમજ મધુબેન દિનેશકુમાર તેરૈયા ભુમિકા શ્રેયાંકકુમાર વ્યાસ સ્વારા તેમજ ન્યુઝીલેન્ડથી આ ઉજવણીમાં ઓનલાઇન જોડાય વિરલકુમાર વિનુભાઇ જોષી તેમજ સાઉદી અરેબીયાથી સ્વ.સ સુર્યકાંતભાઇની પુત્રી ચિ. ઋુષિતા તથા જમાઇ મહેશકુમાર ઘનશ્યામભાઇ જોષી, શ્રીમતી અવંતિકાબેન કલ્પિતભાઇ તેરૈયા, ચિ. રિવા તથા મોહિતભાઇએ અભિષેકને જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા)

(1:12 pm IST)