સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 11th November 2021

યાત્રાધામ વિરપુરમાં રરર મી જલારામ જયંતિને લઇને બીજી દિવાળી હોય તેમ ઘેર ઘેર રંગોળીઓ કરાઇ

વિરપુર (જલારામ): દેશ વિદેશમાં ડંકો વગાડનાર પૂજય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની રરરમી જન્મ જયંતિને લઇને વિરપુરમાં જાણે બીજી દિવાળી હોય તેમ વિરપુરવાસીઓએ ઘેર ઘેર આંગણે અવનવી રંગોળીઓ કરવામાં આવી છે જેમાં પૂજય જલારામ બાપાના પરચાની આબેહૂબ રંગોળી પણ કરવામાં આવી હતી. દિવાળીમાં તો બધા રંગોળી કરતા જ હોય છે પરંતુ વિરપુરમાં તો જાણે આજે જ દિવાળી હોય તેમ યાત્રાધામને સોળે શણગારવામાં આવ્યું તેમજ ફૂલહાર આસોપાલવના તોરણ બાંધી સમગ્ર ગામને સુશોભિત કરવામાં આવ્યું છે. દિવાળી હોય તેમ ફટાકડા ફોડીને પૂજય બાપાના જન્મદિનના વધામણા કરવામાં આવી રહ્યા છે. (તસ્વીર-અહેવાલઃ કિશન મોરબીયા-વિરપુર)

(12:15 pm IST)