સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 11th October 2018

સુરેન્દ્રનગર જિલ્લાની શાળાઓમાં નવરાત્રી વેકેશનથી વિદ્યાર્થીઓ ગેલમાં

દરેક શાળાએ રજા રાખવા જિલ્લા શિક્ષણાધિકારીનો આદેશ

સુરેન્દ્રનગર, તા.૧૧: હાલ સુરેન્દ્રનગર જીલ્લામાં નવરાત્રીની તમામ સ્થળોએ ધૂમધામપૂર્વક તડામાર તૈયારી ચાલી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાની તમામ નાની મોટી શાળાઓમાં નવરાત્રી નિમિત્તે મીની વેકેશન સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ છે ત્યારે ગઇકાલથી શરૂ થતાં નવરાત્રીના તહેવારમાં સુરેન્દ્રનગર જીલ્લાની તમામ શાળાના વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે. સુરેન્દ્રનગર જીલ્લા મોટાભાગની શાળાઓ બંધ રહી હતી.

સુરેન્દ્રનગર શિક્ષણ અધિકારી સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે આજથી સુરેન્દ્રનગર જીલ્લાની તમામ શાળાઓ બંધ રહેશે કે જે પછી પ્રાઇવેટ હોય કે સરકારી તમામ શાળાઓ નવરાત્રી નિમિત્તે બંધ રહેશે અને કોઇ પણ શાળા ચાલુ હોય તેને બંધ કરવા આદેશ આપ્યા અને શિક્ષણ અધિકારીની ટીમ દ્વારા શાળા પર તપાસ હાથ ધરાશે અને જે કોઇ શાળા ચાલુ હશે તો તેની સામે કડક પગલાં લઇને યોગ્ય કાર્યવાહી કરાશે.(૨૩.પ)

(12:13 pm IST)