News of Thursday, 11th October 2018
જસદણના પુર્વ ધારાસભ્ય
ડો. બોધરાની સરદાર પટેલ જળસંચય યોજનાના ચેરમેન તરીકે નિમણૂંક
જસદણ તા.૧૧: જસદણના પુર્વ ધારાસભ્ય ડો. ભરતભાઇ બોધરાની સરદાર પટેલ જળસંચય સહભાગી યોજનાના ચેરમેન તરીકે નિમણૂંક થતાં તેમને ઠેરઠેરથી અભિનંદનો પ્રાપ્ત થઇ રહયાં છે.
દેશના સામાન્ય નાગરિકથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સુધીના લોકોના હદયમાં બિરાજતાં ડો. બોધરાએ તેમના અઢીવર્ષના ધારાસભ્ય કાળમાં જસદણ વિંછીયા પંથકમાં અબજો રૂપિયાના વિકાસ કાર્યો કરાવ્યા છે.
(10:27 am IST)