દર વખતે જતુ કરતા હોઇએ પરંતુ આ વખતે સાંખી નહી લઇએઃ આઇએમએ જેતપુર સેક્રેટરી ડો. સંજય કયાડા
(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૧૧ : આઇ.એમ.એ. સેકેટરી ડો. સંજય કયાડાએ આ ઘટના અંગે સખત શબ્દોમાં આક્ષેપો કરતી જણાવેલ કે આરોપી આવીરીતે હુમલા કરવાની ટેવ વાળો હોય પોતાના સીન જમાવવા ડોકટરોને ટાર્ગેટ બનાવેલ. અને તેને રાજકીય ઓથ હોય આમ અન્ય એક વ્યકિતને પણ બેફામ માર મારેલ દરેક વખતે સમજાવટથી જતુ કરતા હોય છે. પરંતુ આ વખતે કોઇ સંજોગોમાં સાખી નહી લઇએ અને આરોપી વિરૂધ્ધ તાત્કાલીક કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જાતે તેના વિરૂદ્ધ પાસાના કાગળો કરવામાં આવે જેથી કરી ભવિષ્યમાં બીજો કોઇ આવી હિંમત ન કરે પોતાના વિસ્તારમાં રોફ જમાવવા અમુક લોકો દર્દીઓની સાથે આવી હોસ્પીટલમાં આવા ખેલ કરતા હોય છે.પંરતુ કોઇ ડોકટરો કોઇ જંજટમાં પડવા માટે ન હોય જતુ કરે આ અંગે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી છે.