મોરબી -વાંકાનેરમાં અપમૃત્યના ૩ બનાવ
શકત શનાળામાં શિતલ ધોળકીયાનો ફાંસો ખાઇ આપધાતઃ મકનસરમાં ફેકટરીમાં કામ કરતા ઇજાગ્રસ્ત સદામનું મોત અને અમરસરના દેવશીભાઇ દેગામાનું ડુબી જતા મોત
મોરબી ,તા.૧૧: મોરબી અને વાંકાનેર પંથકમાં અપમૃત્યુના ત્રણ બનાવો પોલીસ ચોપડે નોંધયા છે.
મોરબી નજીકના શકત શનાળા ગામે રહેતી શીતલ નરેન્દ્રભાઈ ધોળકીયા (ઉ.વ.૧૫) નામની અનુ. જાતિની સગીરા કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપદ્યાત કર્યો છે બનાવને પગલે પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી છે જોકે સગીરાએ કયાં કારણોસર આપદ્યાત કર્યો તે કારણ જાણવા મળ્યું નથી
બીજા બનાવમાં મોરબીના મકનસર પાસે મેગ્નેમ ફેકટરીમાં કામ કરતા સદામ સમસુદીન સીદીકી (ઉ.વ.૨૨) વાલા યુવાનને ઈજા થતા રાજકોટ બાદ મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો જયાં સારવાર દરમિયાન મોત થયું છે જયારે ત્રીજા બનાવમાં વાંકાનેરના અમરસર ગામના રહેવાસી દેવશીભાઈ રમેશભાઈ દેગામાં (ઉ.વ.૨૩) નામના યુવાન તીથવા ગામના બોર્ડ પાસે આસોઈ નદીમાં ડૂબી જતા તેનું મોત થયું છે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે
મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી
મોરબીના વિસીપરા વિજયનગરના રહેવાસી હસમુખભાઈ દેવજીભાઈ મકવાણાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ભૂપત પુનાભાઈ મકવાણા રહે વિજયનગર રોહીદાસપરા મોરબી વાળાએ ફરિયાદીના વૃક્ષો કાપી નુકશાન કરી ફરિયાદીને કુહાડા લઈને જાનથી મારી નાખવાની ધમકી આપી છે પોલીસે હથિયારબંધી જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.