સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th September 2019

જુનાગઢમાં સંહિતા મહિલા મંડળ દ્વારા ગણપતિની ધુન અને હનુમાન ચાલીસા

જુનાગઢઃ સેવાભાવી સંસ્થાશ્રી સંહિતા મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી વિણાબેન શૈલષભાઇ પંડયાના તળાવ દરવાજાસ્થિત પ્રગતિ એપાર્ટમેન્ટ તેમના નિવાસ સ્થાને વિણાબેન પંડ્યા દ્વારા બનાવાયેલ માટીના ગણપતિની સ્થાપના કરવામાં આવી છે અને ગણેશોત્સવ નિમીતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે જેમાં ગઇકાલે સાંજે ગણપતિદાદાની મહાઆરતી ગણપતિની ધુન હનુમાન ચાલીસાના પાઠ રાખવામાં આવ્યા હતા જેમાં વરસતા વરસાદ વચ્ચે મહિલા મંડળના બહેનો ઉપસ્થિત રહ્યા હતા ઉપરોકત તસ્વીરમાં ગણપતિ બાપાની પ્રતિમા પાસે વિણાબેન પંડ્યા મીનાબેન પંડ્યા તેમજ શ્રીમતી મિતાબેન વિનુભાઇ જોષી તેમજ મહિલા મંડળ ના બહેનો અને મૈત્રેય જોષી વગેરે નજરે પડે છે આ પ્રસંગે સૌ ઉપસ્થિતોને પ્રસાદ રૂપે ચેવડો પેંડા અપાયા હતા કાર્યક્રમને સફળ બનાવવા વિણાબેન પંડ્યા તથા તેના પતિદેવ શૈલેષભાઇ પંડ્યા અને પુત્ર પાર્થ પંડ્યાએ ભારે જહેમત ઉઠાવી હતી આવતી કાલે આ મહોત્સવ નુ વિસર્જન થનાર છે (અહેવાલઃ વિનુ જોષી તસ્વીર મુકેશ વાઘેલા)

(1:04 pm IST)