સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th September 2019

વરસતા વરસાદ વચ્ચે વાંકાનેરમાં તાજીયા

વાંકાનેરમાં લક્ષ્મીપરા હુસેની ચોકથી કલાત્મક તાજીયા સાથેનું જુલૂસ નિકળેલ. દુલ દુલ સાથે જુદા જુદા તાજીયા તથા માનતાઓની ડોલીઓ સાથેનું જુલૂસ શહેરના રાજમાર્ગો ઉપર ફરીને રાત્રે ગ્રીનચોક ખાતે પહોંચેલ જયા ટાઢા કરવાની રસમ અદા કરવામાં આવેલ. શહેરમાં ઠેક ઠેકાણે સિબીલો ઉભી કરી કાર્યકતાઓએ સરબત-નાસ્તાની વ્યવસ્થા ગોઠવી હતી. હિન્દુ-મુસ્લીમ બીરાદરો તાજીયામાં શ્રીફળ વધેરી દર્શન કર્યા હતાં. ધારાસભ્ય જાવેદભાઇ પીરઝાદા, મહંમદભાઇ રાઠોડ, મુસ્તાકભાઇ બ્લોચ તેમજ તાજીયા કમીટીના હોદેદારો વિગેરે જોડાયા હતાં. પીએસઆઇ એ. બી. જાડેજા, મહીલા પીએસઆઇ શ્રી મોલીયા સહિતના પોલીસ સ્ટાફે બંદોબસ્ત જાળવ્યો હતો.

(11:34 am IST)