સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th September 2019

જસદણના આલણસાગર તળાવમાં ર૦ ફુટ પાણી નવા નીરના વધામણા

જસદણ તા. ૧૧ :.. શહેરને પીવા માટે પાણી પુરૂ પાડતા આલણસાગર તળાવમાં બુધવારે સવારે ર૦ ફુટે સપાટી પહોંચતાં નવા નીરના વધામણા જસદણના રાજેશભાઇ બાવાભાઇ પરમાર એ શ્રીફળ અગરબતીથી વધામણા કર્યા હતાં.

તેમણે એક યાદીમાં જણાવ્યું છે કે આલણસાગર તળાવ એકસો વર્ષથી વધુ સમયથી જસદણની તરસ બુઝાવે છે. ત્યારે આ તળાવની ર૦ ફુટે પાણીની સપાટી એ પહોંચતાં શહેરના લોકોની સુખાકારી માટે શ્રીફળ વધેરી નવા નીરના વધામણા કર્યા હતાં.

(11:22 am IST)