મોરબીમાં આર્મી જવાનોની સાઇકલ યાત્રાનું સન્માન
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦ મી જન્મજયંતી નિમિતે અહિંસા અને સ્વચ્છતા જેવા સંદેશાઓના પ્રચાર કરવા CAPF અને પેરા મીલીટરી ફોર્સના ૭૫૦ અધિકારી અને જવાનો દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમી પોરબંદથી દિલ્હી સાયકલ પર જવા રવાના થયા છે જે યાત્રા મોરબી આવી પહોંચતા સ્વાગત કરવામાં આવ્યું હતુ.ં મોરબી જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલા, ડેપ્યુટી કલેકટર અનિલકુમાર ગોસ્વામી, ડીવાયએસપી બન્નો જોષી, એસઓજી પીઆઈ એસ એન સાટી, પીએસઆઈ એલ બી બગડા, પી આર વાદ્યેલા, સહિતના ઉપસ્થિત રહ્યા હતા તેમજ ટંકારાથી યાત્રા મોરબી પટેલ સમાજ વાડીએ પહોંચી રાત્રીરોકાણ કર્યું હતું જયાં મોરબીમાં એસપી, એસડીએમ શિવરાજસિંહ ખાચર, ડીવાયએસપી ડી જી ચૌધરી, એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરી સહિતના આગેવાનોએ સ્વાગત કર્યું હતું અને મંગળવારે સાયકલ યાત્રા માળિયા તરફ આગળ વધીને ત્યાંથી કચ્છ હાઈવે તરફ પ્રસ્થાન કર્યું હતું સ્વાગત -સન્માન કરવામાં આવ્યું તે તસ્વીર