News of Wednesday, 11th September 2019
ઉનામાં ૭૦થી વધુ કલાત્મક તાજીયાનું ઝુલુસમાં આકર્ષણ
ઉના : મુસ્લિમ સમાજ દ્વારા માતમનો મહિનામાં ઇમામ હુસૈન ત્થા તેમના ૭૦થી વધુ સાથીદારો શહીદ થયા તેના શોકમાં ૧૦ દિવસ સુધી તકરીર તથા મિજીલીસ ન્યાજ રાખવામાં આવી હતી. બપોરના કોર્ટ વિસ્તારમાં મોટાપીર સાહેબની દરગાહ ચોકથી ૭૦થી વધુ તાજીયાઓનું કલાત્મક ઝુલુસ યા હુસેનના ચોકારા સાથે પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિ પૂર્વક નિકળ્યું હતું જે હુસેની રોડ-ઓફીસ રોડ થઇ હુસેની ચોકના દરવાજા પાસે પહોંચી અંજાર જતા રોડ ઉપર બનાવેલ કરબલા શરીફની પ્રતિકૃતિ સમાન પાણીના હોજમાં ટાઢા કરવામાં આવ્યા હતાં. તાજીયાના ઝુલુસના દર્શન કરવા ઉના શહેર તાલુકાભરમાંથી હિન્દુ-મુસ્લિમ ભાઇઓ-બહેનો ઉમટી પડયા હતાં. ઝુલુસમાં કલાત્મક તાજીયાઓની તસ્વીરો.
(10:23 am IST)