સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th August 2020

બાબરાના પંચાળ પંથકમાં માલઢોરમા ગાઠીયો તાવનો :સુકવળા ગામે ૧૦ ગાયોના મોત

બાબરાઃ  તા.૧૧, શ્રાવણ માસ ના પવિત્ર મહીના મા ગાય માતામા ગાઠીયો તાવનો વાયરો આવતા ટપોટપ મોત થવા લાગીયા છે બાબરા તાલુકાના પંચાળ પંથકમાં માલઢોર મા ગાઠીયો તાવનો વાયરો ફેલાતા માલઢોર માલીકો મા ચિંતા પ્રસંરી ગઇ છે સુકવળા ગામે દશ ગાયો ના મોત થતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો.આ બાબતે બાબરા તાલુકાના કોગ્રેસ અગ્રણી પ્રભાતભાઇ કોઠીવાળ દ્વારા તત્કાળ ધોરણે અમરેલી જીલ્લા પંચાયત ની પશુપાલક શાખાના ભાડજાને જાણ કરી તુરંત પગલાં લેવા જણાવ્યું હતું પશુપાલકશાખા દ્વારા સુકવળા ગામે તત્કાળ ધોરણે પશુ ડો મકવાણા અને ટીમને મોકલી બીમારી માલઢોરની સારવાર ચાલુ કરાવી હતી.

(11:57 am IST)