ટંકારાના ઝાંબાઝ પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજા અને સાથી કોન્સ્ટેબલનું શ્રી રાજપૂત કરણી સેના દ્વારા સન્માન કરાયું
પુરમાં ફસાયેલા લોકોનું જીવના જોખમે રેસ્ક્યુ કરતા બંનેનું તલવાર તથા સાફો પહેરાવી ને સન્માન
રાજકોટ : તાજેતરમાં પુર માંથી લોકોને બચાવનાર ટંકારા પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજા તથા સાથી કોન્સ્ટેબલ નું તલવાર તથા સાફો પહેરાવીને શ્રી રાજપૂત કરણી સેના દ્વારા સન્માન કરાયું હતું
તાજેતર માં પડેલા વરસાદ થી આવેલા પુરમાં ફસાયેલા લોકો ને અને ખાસ કરી ને મહિલાઓ તથા બાળકોને પોતાના જાનના જોખમે બહાદુરીપૂર્વક બચાવનાર ટંકારા પોલિસ મથકના પોલીસ કોન્સ્ટેબલ શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજા (મૂળ ગામ-કોયલી)તથા સાથી કોન્સ્ટેબલ ફિરોઝભાઈ નું તલવાર તથા સાફો પહેરાવી ને સન્માન શ્રી રાજપૂત કરણી સેના-રાજકોટ તથા મોરબી ટિમ તથા પ્રદેશ આગેવાનો દ્વારા કરવાં આવ્યું હતું.
જેમાં શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત પ્રભારી જે.પી.જાડેજા,સૌરાષ્ટ્ર પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજા,રાજકોટ પ્રમુખ ભરતસિંહ જાડેજા(વાગુદડ),ઇતિરાજસિંહ જાડેજા,દિલીપસિંહ જાડેજા,રાજવીરસિંહ વાળા,કુલદીપસિંહ જાડેજા,હેમેન્દ્રસિંહ જાડેજા(ચીકુભા)તથા મોરબી કારણીસેના ના પ્રમુખ વિજયસિંહ ચુડાસમા,, પ્રતાપસિંહ જાડેજા,શક્તિસિંહ જાડેજા,વિશ્વરજસિંહ જાડેજા,ભગીરથસિંહ વાઘેલા,સુખદેવસિંહ જાડેજા તથા દેવેન્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.ભાઈ પૃથ્વીરાજસિંહે પોતે માત્ર ફરજ બજાવી હોવાની વિનમ્ર પણે વાત કરી હતી.