માણાવદરમાં મહિલાઓને માર મારતા મામલતદારને આવેદનઃ ઉચ્ચકક્ષાએ રજુઆત
માણાવદર, તા., ૧૧: નગરજનોએ શહેરના મામલતદારશ્રીને એક આવેદનપત્ર પાઠવી પીએસઆઇ એચ. આર. હેરભા સામે મહિલાઓને માર માર્યાની ગંભીર ફરિયાદ સાથે આવેદન પત્ર પાઠવ્યું છે.
આવેદનપત્રમાં જણાવ્યું છે કે પટેલ ચોક વિસ્તારમાં રહેતા પરિવારની ઘરે તેમના સંબંધીઓ સાથે બેઠા હતાં ત્યારે બે કોન્સ્ટે. આવેલ નગાભાઇ તથા માનસીંગભાઇ આ પરિવારના ઘરે રાત્રીના ગયેલા કોઇ મહિલા ોપલીસ સાથે નહોતી તમારી સામે જુગાર કેસ કરવાનો છે ચાલો પો. સ્ટે. મહિલા ગભરાઇ ગયેલ અને કહેલ અમો જુગાર રમતા નથી તો કેસ કેમ? ઇસમોએ ધરારથી પો. સ્ટે. લઇ ગયેલ એક સ્ત્રીના પતિને ઘરમાં માર મારેલ ત્થા રૂ. ૩પ હજાર કબાટમાં પડેલ તે ધરારીથી કઢાવી લીધા હતા.
તેના આધારે પો. સ્ટે.માં પાયા વિહોણી ફરિયાદ કરેલ રાત્રીના મહિલાઓને જામીન પર મુકત કરી દીધેલ બીજા દિવસે ફરી મહિલાઓને પો. સ્ટે.માં બોલાવવામાં આવી ત્થ પીએસઆઇ શ્રી હેરભા એ માર માર્યાનું દઆવેદનપત્રમાં જણાવેલ છે. જે ત્રણ મહિલા આ જુનાગઢ સરકારી દવાખાને સારવાર હેઠળ છે. અ મુદ્દે તાકીદે યોગ્ય કરવા માંગણી કરી છે. (૭.૩૪)