સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 11th August 2018

સાવરકુંડલામાં શ્રધ્ધાંજલી સમારંભ

 સાવરકુંડલાના કુંડલપુર હનુમાનજીના મંદિરે હનુમાન ચાલીસાના પાઠ કરીને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલાં એક દુર્ઘટનામાં ચાર સદસ્યોએ જીવ ગુમાવેલ જેના આત્માની શાંતિ અને શ્રધ્ધાંજલી આપવા માટે મહંત કરશનદાસ બાપુ દ્વારા શ્રધ્ધાંજલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણવિદ મહેશભાઇ ગઢવી, પ્રો.શૈલેષભાઇ રવિયા, ડી.કે.પટેલ, જયસુખભાઇ નાકરાણી, પ્રતિક નાકરાણી, ભુપતભાઇ પાનસુરીયા, રવિન્દ્ર ધંધુકીયા, રાજેશ પરમાર, નેમિષભાઇ જાની, ધર્મેન્દ્ર જોષી, જીતુભાઇ રૂપાવટીયા, ભીમાભાઇ ચુડાસમા, પીયુષભાઇ ચૌહાણ, અતુલભાઇ કૌશિક બાપુ વેપારીઓ, મંદિરના ભકતો તેમજ મૃતકના પરિવારજનો હાજર હતા.

(11:34 am IST)