ભાવનગર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખપદે મનહરભાઇ રાઠોડ
ભાવનગર તા.૮: ઓગષ્ટના રોજ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની સાધારણ સભા મળેલ જેમાં ભાવનગર શહેર, બોટાદ, તળાજા, મહુવા, સિહોર, તથા જીલ્લાના ખાનગી શાળા સંચાલકોએ હાજરી આપેલ. આ સાધારણ સભામાં આગામી વર્ષ માટે એમ.જી.ટી. - જ્ઞાનગુરૂ એજયુકેશન હબના સંચાલક મનહરભાઇ રાઠોડની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ છે.
મનહરભાઇ રોટરી કલબ, તરૂણવિકાસ ીશબિર, વિવેકાનંદ કેન્દ્ર, ટયુશન કલાસીસ એસોસિએશન જેવી અનેક સંસ્થાઓમાં કાર્યરત છે અને પોતાની જ્ઞાતિમાં અધ્યક્ષ તરીકે પણ સેવા આપી રહ્યા છે. આ સાધારણ સભામાં ફેડરેશનના ચેરમેન તરીકે સરદાર પટેલ ઇન્સ્ટીટયુટના બી. પી. જાગાણી, સેક્રેટરી તરીકે નવદર્પણ સ્કૂલ થોરડીના શ્રી તરૂણભાઇ વ્યાસ તથા ખજાનચી તરીકે વિધામંજરી સ્કૂલનાં શ્રી પરબતભાઇ મોરડિયાની વરણી કરવછામાં આવેલ છે. (૧૧.૪)