દાળેશ્વર મહાદેવ મંદિરે રવિવારે શ્રાવણ માસનું પ્રથમ ધ્વાજારોહણ
આખો માસ વિશેષ પૂજન-અર્ચન અને મહાપ્રસાદ
રાજકોટ, તા. ૧૦ : દાળેશ્વર સેવા મંડળ ટ્રસ્ટના પ્રમુખ અનંતભાઇ ભટ્ટ તેમજ જયેશભાઇ રાવલની યાદીમાં જણાવાયું છે કે તા. ૧રના રવિવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે રીબડા નજીક દાળીયા ગામ મુકામે આવેલ શ્રી દાળેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ ધ્વજારોહણનો કાર્યક્રમ સવારે ૧૧ કલાકે યોજાશે.
જેમાં રાજકોટ શહેર ચીભડીયા બ્રહ્મસમાજના પ્રમુખ પ્રફુલભાઇ જોષી તેમજ ભાવનગર ટ્રસ્ટ ઔદીચ્ય સહસ્ત્ર ચીભડીયા બ્રહ્મસમાજના કારોબારી સભ્ય હિતેશભાઇ જોષી, જયંતભાઇ ઠાકર, કિશોરભાઇ ત્રિવેદી, ગીરીશભાઇ રાવલ સહિતના ઉપસ્થિત રહેશે. પ્રથમ દિવસે સવારે પઃ૩૦ વાગ્યે પાઠયાત્મક લઘુરૂદ્ર કરવામાં આવશે. ત્યાર બાદ સવારે ૧૧ વાગ્યે ધ્વજારોહણ, ૧ર કલાકે મહાઆરતી અને ત્યારબાદ ભૂદેવોની ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવેલ છે. ત્યારબાદ મહાપ્રસાદની વ્યવસ્થા રાખેલ છે.
આખા શ્રાવણ માસ દરમ્યાન દાળેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રી ઔદીચ્ય સહસ્ત્ર ચીભડીયા બ્રહ્મસમાજના ભાઇઓ-બહેનો માટે દરરોજ બપોરે ૧રઃ૦૦ કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે.