સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 11th July 2020

જેતપુર સદ્ભાવ એકતા સમિતિ દ્વારા આવેદન

નવાગઢઃ જેતપુર સદ્ભાવ એકતા સમિતિ દ્વારા દરેક સમાજના આગેવાનોને સાથે રાખી કલેકટરશ્રી રાજકોટને આવેદનપત્ર આપેલ જેમાં મુંબઇમાં ડો. આંબેડકરના નિવાસ સ્થાન 'રાજગૃહ સ્મારક'ને તા. ૭/૭ના રોજ ભાંગતોડ કરવામાં આવી તેના વિરોધમાં પ્રશાંતભાઇ કોરાટ, યોગેશભાઇ નાયડુ, કિશોરભાઇ શાહ, જીતેન્દ્રભાઇ પારઘી, પ્રકાશભાઇ પારઘી, સત્યેનભાઇ ગોસાઇ, બિંદીયાબેન મકવાણા, દીપકભાઇ ત્રિવેદી, ધનરાજગીરી મહારાજ, જીગ્નેશભાઇ સુચક, અન્ય આગેવાનો દ્વારા આવેદન આપી આવા અસામાજીક તત્વોને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમ માંગણી કરેલ છે.

(1:13 pm IST)