જામનગર જિલ્લા ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન
જામનગર : પંડીત શ્યામપ્રસાદ મુખર્જીની જન્મજયંતી દિને જિલ્લા ભાજપ દ્વારા પણ સંગઠન પર્વ સદસ્યતા અભિયાન ૨૦૧૯નો શુભારંંભ કરાયેલ. આ પ્રસંગે સંગઠન પર્વના સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ કિરીટસિંહજી રાણાએ સૌને પ્રોત્સાહિત કરતા સંગઠન પર્વની વિસ્તૃત માહિતી તેમજ શકિત કેન્દ્ર વાઇસ વિસ્તારક અને બુથ વિસ્તારકોએ દરેક જ્ઞાતિ અને સમાજ, યુવાન, વડીલોને કઇ રીતે ભાજપના સભ્ય બને તે માટે દરેક કાર્યકર્તા દરેક બુથ પર પહોચે તે માટે સૌને પ્રોત્સાહિત કરેલ. કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલે સ્વાગત કરતા ભાજપના કાર્યકર માટે ચુંટણીમાં વિજયએ પડાવ સમાન હોય છે વિશ્રામ નહી તે રીતે ચેલા જિ.પં.ની બેઠકમાં પાર્ટીના ઉમેદવાર વિજયી બને તે માટે લાગી જવા અપીલ કરેલ. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવિણસિંહ જાડેજા, સાંસદ પુનમબેન માડમ, ચેતનભાઇ કડીવાર, ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો.પી.બી.વસોયા, સંગઠનપર્વ ઇન્ચાર્જ - સહઇન્ચાર્જ જિ.પં.ના સદસ્યો, જિલ્લા મોરચાના પ્રમુખ મહામંત્રીઓ, જિલ્લા ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહેલ. કાર્યક્રમનું સંચાલન જિલ્લા મહામંત્રી અને સંગઠન પર્વના સહઇન્ચાર્જ ડો.વિનોદ ભંડેરીએ કરેલ. સદસ્યતા વૃધ્ધિ અભિયાનના પ્રારંભે જસર્વે અગ્રણીઓની ઉપસ્થિતિમાં સમાજના વિવિધ વર્ગના અગ્રણી લોકો જેમકે નિવૃત એએસઆઇ, વેપારીઓ, યુવા મતદારો ભાજપમાં જોડાયેલ. સદસ્યતા અભિયાનનો પ્રારંભ થયો તે તસ્વીર.