સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 11th July 2019

તળાજાનાં દુષ્કર્મ-ઝેરી દવા પીવડાવવાના કેસમાં ત્રણેય ભાઇઓની ધરપકડ

ભાવનગર, તા. ૧૧ : તળાજા સહિત ભાવનગર જિલ્લા માં ભારે ચકચારી બનેલ દ્યટના ના ત્રણેય આરોપી ની અલંગ પોલીસે ધરપકડ કરી હોવાનંુ પોલીસે જણાવ્યું હતું.

અલંગ પોલીસ મથક નીચે આવતા પાદરી (ગો) ગામના સુરેશ જગજીવનભાઈ ધાંધલીયા વિરુદ્ઘ દુષ્કર્મ આચરવું અને સુરેશના તાબે ન થતા સુરેશ એ બન્ને સગાભાઈઓ રમેશ જગજીવન,ભરત જગજીવન સાથે મળી ને ઝેરીદવા પીવરાવી દીધાની યૂવતી ની ભાન માં આવ્યાના ત્રીજા દિવસે યૂવતી અને તેના પરિવાર જનો ફરિયાદ કરવાની જ છે. સમાધાન કોઈપણ લોભ લાલચ આપશે તો પણ નહીં કરીએ તેવી મક્કમતા દેખાડ્યા બાદ અલંગ પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ આજે ત્રણેય આરોપીઓ ની ધરપકડ કરવામાં આવી હોવાનંુ અલંગ પોલીસે જણાવ્યું હતું.

પોલીસે સાંજે ૫.૧૫ કલાકે સત્ત્।ાવાર ધરપકડ કરી હોવાનંુ જણાવ્યું હતું.કાલે આરોપીઓ ને નામદાર કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવશે.તળાજાની ખાનગી હોસ્પિટલમાં ઝેરીદવા ની અસર થી અર્ધ બેભાન અવસ્થા માં એક યૂવતી ને લાવવામાં આવી હતી. એજ સમયે યુવતી ના કાકા એ પોતાની ભત્રીજી ને પાદરી ગામના ત્રણ ઈસમોએ ઝેરી દવા પીવરાવી હોવાનો આરોપ લગાવ્યો હતો. એ ઉપરાંત યૂવતી ભાનમાં આવ્યા બાદ પોતાની સાથે મરજી વિરુદ્ઘ દુષ્કર્મ આચરવામાં આવ્યૂ હોવાનો હોસ્પિટલ ની પથારી માંથીજ આરોપ લગાવતી હતી. આ બન્ને ગંભીર આરોપ બાદ પોલીસે તપાસ ના ભાગરૂપે ખાસ કરીને દુષ્કર્મ જેવા કેસ માં ગામમાં જઈને નિવેદનો નોંધ્યા નું પોલીસ જણાવી રહી હતી. ત્યારે દુષ્કર્મ જેવા ગંભીર ગુન્હામાં ભોગ બનનાર પીડિતા કે તેમના પરિવાર જનોની ઓળખ ન થાય તે બાબતેઙ્ગ કોર્ટનો સ્પષ્ટ આદેશ છે. તેમ છતાંય તટસ્થ અને ન્યાયિક કાર્યવાહી ના ભાગરૂપે નિવેદનો નોંધવામાં આવ્યા પોલીસ ્દ્વારા તે નોંધી શકાય ખરા? પીડિતાની ઓળખ એ દરમિયાન છતી ન થાય? તેવા સવાલો ન્યાયના હિત માં ઉદ્ભવી શકે છે. આભ બાબત પણ ચર્ચાનો વિષય છે.

(11:35 am IST)