News of Thursday, 11th July 2019
આટકોટનું એસ.ટી.પીક-અપ સ્ટેન્ડ નાસ્તા-ગૃહ બની જતા મુસાફરોને પરેશાની
આટકોટ તા.૧૦: આટકોટમાં ભાવનગર રોડ ઉપર આવેલ સરદાર ચોકડી ઉપર કુંવરજીભાઇ બાવળીયાની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવેલ પીક-અપ બસ સ્ટેન્ડ નાસ્તા ગૃહ બની જતા મુસાફરોને પરેશાનીનો સામનો કરવો પડે છે.
મુસાફરોની સગવડતા માટે બનાવવામાં આવેલા આ પીક-અપ સ્ટેન્ડ છેલ્લા ઘણા સમયથી સવાર-સાંજ નાસ્તા ગૃહ બની જાય છે. આ અંગે એસ.ટી.ના અધિકારીઓ દ્વારા દબાણ કર્તાઓ સામે કોઇજ પગલા ન ભરાતા બસની રાહ જોતા મુસાફરોમાં ભારે રોષ છવાઇ જાય છે.
આ પીક-અપ સ્ટેન્ડની બાજુમાંજ પોલિસ ચોકી બનાવાઇ છે પરંતુ પોલિસ સ્ટાફ દ્વારા પણ સ્ટેન્ડ સામે દબાણ કરેલા દબાણ કારોને દુર ન ખસેડતા હોય સ્થાનિક પોલિસ પણ સ્ટેન્ડ ની સામે ઉભા રહેતા દબાણ કર્તાઓને દુર કરે તેવી મુસાફરોમાં માંગણી ઉઠી છે.
(11:25 am IST)