ગોંડલ શ્રી સ્વામી નારાયણ મંદિર દ્વારા કરાયેલ રોપ વિતરણ
ગોંડલ તા. ૧૧ :.. ગોંડલ વિસ્તારના નાની બજાર ખાતે શ્રી સ્વામી નારાયણ મંદિર દ્વારા પ૦૦ જેટલા વિવિધ રોપાનું વિતરણ કરવાનું આયોજન પ.પૂ. આનંદ સ્વામીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું.
આ પ્રસંગે ઉપસ્થીત રહેલ ગ્રામ્ય મામલતદાર ચુડાસમા, શહેર મામલતદાર જાડેજા, રાજકોટ જીલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન અર્જુનભાઇ ખાટરીયા, જીલ્લા પંચાયત સદસ્ય હરેશભાઇ સોજીત્રા, મોવિયા ચેતન સમાધીના મહંત અલ્પેશ ગીરીબાપુ, પ્રકૃતિપ્રેમી હિતેષભાઇ દવે, મનીષભાઇ જોષી, વન વિભાગના જેઠવાભાઇ ગોંડલ શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ માનવ જીવનમાં વૃક્ષનું મહત્વ અને ઉપયોગીતા અંગે માર્ગદર્શન આપેલ તેમજ શહેરીજનોએ રોપાનું વિતરણ કરેલ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બાલકૃષ્ણ સાકરીયા અને પૂ. સંતોએ જહેમત ઉઠાવેલ હતી.