જામનગરમાં બગીચા સહિતના પર્યટન સ્થળો ફરી ખૂલ્યાઃ લોકો મોર્નીગ વોક માટે નિકળી પડયા
જામનગરઃ મહાનગરપાલિકા દ્વારા શહેરની મધ્યમાં આવેલ રણમલ તળાવ કે જેને લોકો લાખોટા તળાવથી ઓળખે છે. જે આજે વહેલી સવારથી ખુલ્યું છે. સાથે સાથે એમ્યુઝમેન્ટ પાર્ક, રણજીત ઉદ્યાન સહિતના હરવા-ફરવા લાયક સ્થળો ચોક્કસ સમયમર્યાદા માટે સવારે ૬ થી સાંજના ૭ દરમિયાન તમામ લોકો માટે ખોલવામાં આવ્યા છે.
પરંતુ આ સ્થળોએ પ્રવેશતા પૂર્વે થર્મલ ગનથી તમામ લોકોનું ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને માસ્ક સહિતના કોવિડ પ્રોટોકોલ સાથે લોકોને પ્રવેશવાની છૂટ આપવામા આવી છે. લાંબા સમય પછી કોરોનાની બીજી લહેરમાં બંધ થયેલા બાગ-બગીચા ખુલતા જ લોકો મોર્નિંગ વોક માટે ઉમટી પડ્યા હતા. સાથે જ લોકો સ્વાસ્થ્ય માટે યોગ, અંગ કસરત માટે પણ ઉમટ્યા હતા. અને અનલોકીંગ પ્રક્રિયાના પ્રથમ દિવસે જ લોકો હરવા ફરવા લાયક સ્થળો જોવા મળ્યા હતા.(તસ્વીરોઃ કિંજલ કારસરીયાઃજામનગર)