સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 11th June 2021

ધોરાજી : ગાંધીનગરમાં સી.આર.પાટીલની અધ્યક્ષતામાં લઘુમતી મોરચાની મિટીંગ યોજાઇ

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા.૧૧ : ગાંધીનગર ખાતે કમલમ ટીમના પ્રદેશ લઘુમતી મોરચાના નિયુકત પ્રમુખ મોહસીનભાઇ લોખંડવાલા તથા ઉપપ્રમુખ હમીદભાઇ ગોંડીલ તેમજ તમામ નવનિયુકત સભ્યોને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને પ્રદેશના  મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાએ શુભેચ્છાઓ પાઠવી હતી.

આ તકે સી.આર.પાટીલ અને ભીખુભાઇ દલસાણીયાએ તમામ હોદ્દેદારોને જણાવ્યું કે, સમગ્ર દેશ તથા ગુજરાતમાં મુસ્લીમો સલામત અને સુખી છે અને લઘુમતી સમાજના યુવાનો વધારે ને વધારે પાર્ટી સાથે જોડાય તેવા પ્રયત્નો કરવા જણાવ્યુ હતુ.

ધોરાજીના મેમણ સમાજના અગ્રણી છેલ્લા ઘણા સમયથી ભાજપ સાથે જોડાયેલ એવા યુવા ઉદ્યોગપતી હમીદભાઇ ગોંડીલનું પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સન્માનીત કરેલ. આ તકે ભીખુભાઇ દલસાણીયાએ યુવા કાળમાં ધોરાજી ખાતેના સંસ્મરણો વાગોળ્યા હતા.

મહામંત્રી નાદીનભાઇ કાજી જેનુબ આબેદીન અન્સારી તેમજ ઝહીરભાઇ કુરેશી, વસીમભાઇ શેળ જીસાવ નકવી, રજનીભાઇ પટેલ, વિનોદભાઇ ચાવડા, ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના હાજર રહેલ. બાદમાં લઘુમતી મોરચાના તમામ હોદ્દેદારો નવા સચિવાલય ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પણ મુલાકાત લીધી હતી.

(11:58 am IST)