સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 11th June 2021

મોરબી જીલ્લા ભાજપ દ્વારા બક્ષીપંચ મોરચાના હોદેદારોની વરણી: વાંકાનેર શહેર મંડળના પ્રમુખની નિમણુક

મોરબી જીલ્લા ભાજપ દ્વારા બક્ષીપંચ મોરચાના હોદેદારોની વરણી કરવામાં આવી છે.

ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશ મહામંત્રીના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં બક્ષીપંચ મોરચાના હોદેદારો અને વાંકાનેર શહેર મંડળના પ્રમુખની નિમણુક કરાઈ છે જેમાં બક્ષીપંચ મોરચામાં પ્રમુખ તરીકે અમૃતલાલ કાનજીભાઈ ઠાકરાણી વાંકાનેર શહેર, મહામંત્રી તરીકે અનિલભાઈ હડીયલ મોરબી શહેર અને મહામંત્રી તરીકે બીપીનભાઈ અમરશીભાઈ પ્રજાપતિ ટંકારા ગ્રામ્યની નિમણુક કરી છે જયારે વાંકાનેર શહેર મંડલ પ્રમુખ તરીકે પરેશભાઈ શંભુભાઈ મઢવીની નિમણુક કરવામાં આવી છે

(9:16 pm IST)