સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th June 2019

પાણી પ્રશ્નના આગોતરા આયોજન માટે દિલ્હીમાં તમામ રાજયોના પાણી પુરવઠા મંત્રીઓની બેઠક

કુંવરજીભાઇ બાવળીયા પણ જોડાયા

 આટકોટ તા. ૧૧ :.. ઉનાળાના ધોમ ધખતા તાપમાં પાણી પ્રશ્ન સર્જાતા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે પાણી પ્રશ્ન  ન સર્જાય તે માટે આગોતરૂ આયોજન કરવા માટે આજે દિલ્હીમાં કેન્દ્રીય પાણી પુરવઠા મંત્રીશ્રીની ઉપસ્થિતીમાં તમામ રાજયોના પાણી પુરવઠા મંત્રીશ્રીઓની બેઠક યોજાઇ છે.

જેમાં ગુજરાતના પાણી - પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા પણ જોડાયા છે. આ ઉપરાંત રાજયોના સેક્રેટરીઓ પણ જોડાયા છે.

આગામી સમયમાં પાણી સમસ્યા ન સર્જાય અને તેના માટે આગોતરૂ આયોજન  કરવા વિવિધ ચર્ચા-વિચારણા કરાશે.

(3:41 pm IST)