સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th June 2019

મોરબીના માસુમ નિત્યની હત્યા કરનાર સગીરાને મહિલા વિકાસ ગૃહના હવાલે કરાઇ

મોરબી, તા.૧૧: મોરબીમાં નજીવી બાબતે પ્રણવર્ષના માસુમ બાળકની હત્યા કરનાર ફૈબાની પુત્રી સગીરાને પોલીસે મહિલા વિકાસ ગૃહના હવાલે કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ઋષભનગરમાં રહેતા અને ટાઈલ્સ ટ્રેડીંગના વ્યવસાય સાથે જોડાયેલા રાજેશકુમાર દઢાંણીયાના ત્રણ વર્ષના પુત્ર નિત્યનું ઘરે જ મોત થયું હોય અને બાળકના ગળા પર નિશાન મળી આવતા મોત શંકાસ્પદ જણાતા પોલીસે મૃતદેહને રાજકોટ ફોરેન્સિક પીએમમાં ખસેડ્યો હતો અને પીએમ રીપોર્ટમાં બાળકનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોય તેવું સ્પષ્ટ થયુ હતું. 

ે બનાવ અંગે મૃતકના પિતા રાજેશ અમૃતભાઈ દઢાંણીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેની ૧૪ વર્ષની ભાણેજ દ્યરે શાકભાજી કાપતી હોય ત્યારે ફરિયાદીનો દીકરો નિત્ય (ઉ.વ.૦૩) રમતા રમતા તેના હાથમાંથી છરી લેવા જતા છરી ભાણેજને લાગી જવા પામી હતી જેથી ગુસ્સો આવતા ભાણેજે બંને હાથ વડે ગળું દબાવી દેતા માસૂમ નિત્યનું મોત નીપજયું છે

ઙ્ગઆરોપી સગીરા સુરતની રહેવાસી હોય જે મામાના ઘરે રહીને અભ્યાસ કરતી હોય દરમિયાન માસૂમ બાળકની રમતને પગલે ગુસ્સો આવતા ગળું દબાવી દેતા તેના હાથે બાળકનું મોત નીપજયું છે બી ડીવીઝન પોલીસે હત્યાનો ગુન્હો નોંધી સગીરાની ધરપકડ કરી હતી. પકડાએલી સગીરાને પોલીસે મોરબી મહિલા વિકાસ ગૃહના હલાવે કરી હતી.

(2:18 pm IST)